Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો. મું. ગાંગડીયા,તા.મહુવા, જિ. સુરત, શિક્ષકશ્રી પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર કુ. હેતા, પરિવારજનો અને ધોડિયા સમાજ માટે તારીખ 26-06-2 024નો દિવસ યાદગાર બન્યો. પ્રફુલભાઇ પટેલ દિશા ધોડિયા સંગઠનના પાયાના કાર્યકર છે. તેમજ તેઓ એક એવોર્ડ વિનર શિક્ષક, જિલ્લા સંઘ, રાજ્યસંઘમાં પ્રતિનિધિત્વ કરનાર, સમાજના હિતેચ્છુ અને સતત પ્રવૃત કર્મનિષ્ઠ યોગી. તેમની દીકરી હેતાએ (msc.med.Gset - maths - Edu. TAT 1-2-CTET -) પૂર્ણ કરી હાલ જામનગર Bed કોલેજમાં કાયમી લેક્ચર તરીકે નિમણૂક પામી છે.તેમણે કર્મભૂમિ અને સમાજને યાદ કરી નોકરીનો પ્રથમ પગાર ૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે દાનમાં આપી આદિવાસી ધોડિયા સમાજમાં દાનને યોગ્ય દિશામાં આપવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાધારણ પરિવારની આ અસાધારણ ઉદારવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જે ધોડિયા સમાજ સદાય માટે યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. આજે સમાજ માટે ગૌરવની પળ તો ખરી જ(ગામ ગાંગડીયા અને પરિવારે) સાચી મદદ પણ
આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistics survey of india (PLSI) પ્રકાશનમાં ધોડિયા બોલી સાહિત્ય વ્યાકરણનું લેખન પણ કરેલું છે. NCRT ભોપાલ ખાતે (MLE) તાલીમ કાર્યક્ર
ચીખલી તાલુકાના સુરખાઈ ગામે શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનું 17મું દ્વિવાર્ષિક સંમેલન યોજાયું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈનું ૧૭ મું દ્વિવાર્ષિક સંમેલન તા.૭/૧/૨૦૨૪ ને રવિવારના રોજ મળ્યું હતું. મંડળે સ્થાપના ૩૫ વર્ષ પૂર્ણ કરી ૩૬મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજનું દ્વિવાર્ષિક સંમેલન ITBP, અરૂણાચલ પ્રદેશ ખાતે પેરા મિલેટરી ફોર્સના DIG (Medical) તરીકે ફરજો બજાવતા ધોડિયા સમાજના “નારી રત્ન” એવા શ્રીમતિ રીતાબેનના પ્રમુખ સ્થાને મળી હતી. તેમની સાથે તેમના પિતા અને ધોડિયા સમાજના પ્રથમ તબીબ એવા ડૉ. ગંભીરભાઈ અને તેમના યુ.કે. સ્થિત ભાઈ રાજનભાઈ તેમના પત્ની શ્રીમતિ પ્રજ્ઞાબેન સાથે ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે ગણદેવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, વલસાડ-ડાંગ સંસદીય મત વિસ્તારના સંસદસભ્ય ડૉ. કે.સી.પટેલ, પૂર્વ આદિજાતિ અને વન મંત્રી શ્રી કાનજીભાઈ પટેલ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉ.પ્રદીપ ગરાસિયા, પૂર્વ.ધારાસભ્ય શ્રીમતિ ભારતીબેન પટેલ, સામાજીક કાર્યકર શ્રી નરદેવભાઈ પટેલ, ધોડિયા મેડિકલ એસોસિએશન ના પ્રમુખ ડૉ.એ.જી.પટેલ, ગુજરાત યુન
Comments
Post a Comment